¡Sorpréndeme!

Junagadh Murder News : જૂનાગઢ જિલ્લાના પાણખાણ ગામમાં પીઠરામ ગાંગણા નામના ખેડૂતની હત્યા

2025-04-12 0 Dailymotion

જૂનાગઢ જિલ્લાના પાણખાણ ગામમાં પીઠરામ ગાંગણા નામના ખેડૂતની હત્યા. જમીન બાબતે થયેલી તકરારમાં બંન્ને પક્ષ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જેમાં બંન્ને પક્ષના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે પાઈપથી હુમલો કરતા પીઠરામ ગાંગણા નામના ખેડૂતનું મોત નિપજ્યુ. જ્યારે મારામારીમાં ઈજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. છેલ્લા એક વર્ષથી બંન્ને ખેડૂત પરિવાર વચ્ચે જમીન બાબતે માથાકુટ ચાલી રહી હતી. જમીન બાબતે બોલાચાલી મારામારી સુધી પહોંચી. મારામારી અને હત્યાના બનાવમાં કેશોદ પોલીસે બંન્ને પક્ષોના નિવેદનો લઈને ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.