અમદાવાદના નિકોલનો ગોપાલ ચોક વિસ્તાર. જ્યાં પ્રશાસનના પાપે ગટરિયા પૂરનો સામનો કરી રહી છે જનતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1200 કરોડ રૂપિયાના ખર્ચે ખારીકટ કેનાલના નવિનિકરણનું કામગીરી કરી રહ્યું છે. આ નવીનિકરણની કામગીરીમાં ભેખડ તૂટ્યા બાદ ડ્રેનેજની લાઈન તૂટી જેના કારણે આ સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોનો આરોપ છે કે, લાંબા સમયથી એકને એક સમસ્યા ચાલી રહી છે.. કોઈ ઉકેલ આવતો નથી.. આશરે 2 વર્ષથી કેનાલની કામગીરીના પગલે લાઈન સમયાંતરે તૂટી જતી હોવાથી વારંવાર આ સમસ્યા સર્જાય છે.. કાઉન્સિલર,ધારાસભ્ય અને આસિસ્ટન્ટ કમિશનર સુધી રજૂઆત કરી. પણ પરિણામ શૂન્ય. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, કેનાલ અને તેની સાથે પમ્પિંગ સ્ટેશનમાં આવેલ મોટર સારી રીતે ચલાવવામાં ન આવતા પાણી છેલ્લા બે વર્ષથી રોજ સવારે 11 વાગ્યાથી બેક મારવાનું શરૂ થાય છે. જે રાતના 9 વાગ્યા સુધી ગોપાલ ચોક વિસ્તારમાં ભરેલા રહે છે...