રાજકોટમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. જેમાં સત્સંગ પ્લોટમાં રહેતા યુવાનોને વ્યાજખોરોએ ધમકી આપી છે. તેમાં કિડની વેચીને પણ પૈસા આપવા પડશે નહીંતર ઉપાડી જવાની ધમકી આપી છે. જેમાં યુવાને 2.14 લાખ સામે 4.30 ચૂકવ્યા છતા ઉઘરાણી કરવામાં આવી છે.