રાજકોટના ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનું સ્નેહ મિલન યોજાયું હતું. આ સ્નેહ મિલનથી ગોંડલના રાજકરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્નેહ મિલનમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. મિટિંગમાં પાટીદારને ટિકિટ મળે તેવી ચર્ચા પણ કરવામાં આવી હતી. અગાઉ પણ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સંમેલનમાં પૂર્વ ધારાસભ્યને આમંત્રણ ન આપતા વિવાદ થયો હતો.