¡Sorpréndeme!

રાજનાથના નિવેદન પર ચિનારનો હુંકાર: PoK પર કબ્જો જમાવતા વાર નહીં લાગે

2022-11-02 824 Dailymotion

રક્ષા મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં જ પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. રાજનાથ સિંહે કહ્યું હતું કે તેમણે (પાકિસ્તાને) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેનું પરિણામ તેણે ભોગવવું પડશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પ્રાપ્ત કરવાનો સંકેત આપ્યો હતો. રાજનાથ સિંહના આ નિવેદન પર સેનાની પ્રતિક્રિયા પણ આવી છે. ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ કહ્યું કે ભારતીય દળો હંમેશા તૈયાર છે. એકવાર પીઓકે લેવાનો આદેશ આપવામાં આવે તો અમે પાછું વળીને જોઈશું નહીં.