¡Sorpréndeme!

જામનગર: નવરાત્રિમાં વિદેશી વિદ્યાર્થીનીઓને લાગ્યો ગરબાનો રંગ

2022-10-02 390 Dailymotion

ભારત સરકાર દ્વારા જેને 2021માં ઇન્સ્ટિટયૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ એટલે કે રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેવા જામનગરના આયુર્વેદ સંસ્થાનમાં આપણા ભારતીય ઉપરાંત વિદેશથી આવેલા 40 જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પણ ગરબાના રંગે રંગાયા છે. રશિયન, જાપાની અને આફ્રિકન વિદ્યાર્થીનીઓ ભારતિય અને ગુજરાતી ટ્રેડિશનલ ડ્રેસમાં અહીં ગરબે ઘૂમતી જોવા મળે છે.આમ આયુર્વેદ કેમ્પસમાં ગરબા ગ્લોબલ બન્યા છે.