લગ્નપ્રસંગે અચૂક ગવાતાં "ઈડરિયો ગઢ અમે જીત્યા રે..." લોકગીતમાં જેનો ઉલ્લેખ છે તે ઈડરિયો ગઢ અને તેનો પ્રાચીન ઐતહાસિક વારસો ખનન પ્રવૃત્તિ જેવી કૃત્રિમ આફતની સાથે સાથે વરસાદી પાણીના કારણે ઈડર ગઢ ઉપર ધોવાઈ રહેલી માટી જેવી કુદરતી આફતના કારણે નાશ પામી રહ્યો છે. ગઢ ઉપર હવે વનરાજી ઓછી થઈ રહી છે, જેના કારણે વરસાદ થાય ત્યારે ગઢની શિલાઓ નીચેની માટી ધોવાઈ જતાં તેઓ નીચે તરફ ગબડી રહી છે.