¡Sorpréndeme!

અમદાવાદ જનતા કર્ફ્યુ LIVE: શહેરનું પરિમલ ગાર્ડન, માણેકચોક, લાલદરવાજા, રેલવે સ્ટેશન સજ્જડ બંધ

2020-03-22 2 Dailymotion

અમદાવાદ:જનતા કરફ્યુને લઈ આજે રાજ્ય સરકાર દ્વારા તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો જનતા કરફ્યુના પગલે એસટી, બીઆરટીએસ, રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા ઉપરાંત પરિમલ ગાર્ડન, લાલદરવાજા, મૂર્તિમલ કોમ્પલેક્ષ માણેકચોક સોની બજાર સહિતના શહેરના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે વહેલી સવારથી ગણતરીના વાહનો રોડ પર ફરતા જોવા મળ્યા હતા લોકોએ દૂધ તેમજ ખાણી-પીણીનો સામાન એક-બે દિવસ પહેલા સ્ટોકમાં લઈ લીધો છે જેના કારણે શનિવારના રોજ કરિયાણા તેમજ દૂધની ડેરીએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી