અમદાવાદ:કોરોના વાઈરસને તકેદારીને પગલે શહેરના મોટાભાગ વિસ્તારો ખાલીખમ જોવા મળી રહ્યા છે જેમા મોલ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, એસટી બસ સ્ટોપ સહિત સામેલ છે રેલવે સ્ટેશન પર આવતી દરેક ટ્રેનમાં પડદા અને બ્લેન્કેટ હટાવ્યા છે, જ્યારે સરકારી બસોમાં સફાઈ અભિયાનનો પ્રારંભ થયો છે, કોર્ટમાં મહત્ત્વનાં કામ સિવાય પક્ષકારો અને વકીલોની પાંખી હાજરી રહે છે, આઈઆઈટીમાં પણ હાલમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે, સાયન્સ સિટીમાં બંધનાં પાટિયા, આઈઆઈએમ-એ કોન્વોકેશન કેન્સલ કરી વિઝિટર્સના ટેમ્પરેચર માપીને જ આપી રહ્યું છે એન્ટ્રી