વારાણસીથી ઉજ્જૈન વચ્ચે શરૂ થયેલી કાશી-મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવ માટે એક સીટ રિઝર્વ રાખવાના રેલવેના નિર્ણયને લઈ રાજકીય વાતાવરણ ગરમાયુ છે ટ્રેનમાં બેઠક પર શિવ મંદિર બનાવવાને લઈ AIMIM નેતા અસદુદ્દીન ઔવેસીએ વડાપ્રધાન કાર્યાલયને ટ્વિટ કરી આ નિર્ણયને લઈ પ્રશ્ન ઉઠાવ્યો છે ઓવૈસીએ PMOના નામે ટ્વિટ કરતા દેશના બંધારણની એક નકલ પણ ટેગ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી મહાકાલ એક્સપ્રેસને PM નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે લીલી ઝંડી દેખાડ્યા બાદ આજે ઓવૈસીએ ટ્વિટ કર્યું છે