રાજકોટ: આજે સૂર્યગ્રહણને લઇને વિજ્ઞાન જાથા દ્વારા શહેરની ન્યુ પરિમલ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો હેતુ લોકોનો મિજાજ વૈજ્ઞાનિક કેળવાય તે હતો લોકોએ ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું તેમજ વિજ્ઞાન જાથા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે અંધશ્રદ્ધાથી દૂર રહેવું, લોકો ખોરાક બહાર ફેંકે તેના કરતા ભૂખ્યાને આપે અને પાણીનો બગાડ ન કરવો