કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી કરજોલે કહ્યું છે કે, રાજ્ય સરકારે ગેરકાયદે પ્રવાસીઓ માટે ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે કરજોલે મંગળવારે કહ્યું કે, હવે ગૃહ વિભાગની જવાબદારી છે કે, તેઓ ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરે અને તેમને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવે કરજોલે કહ્યું કે, કર્ણાટકમાં 30 ગેરકાયદે પ્રવાસીઓને પકડવામાં આવ્યા છે સામાજિક કલ્યાણ વિભાગે તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી છે સરકારે તેમના માટે બિલ્ડિંગ બનાવી છે, જેથી તેઓ સારી જગ્યાએ રહી શકે તેનું નામ વિદેશી ડિટેન્શન સેન્ટર રાખવામાં આવ્યું છે