¡Sorpréndeme!

મૌલાનાઓની સમસ્યા પર હું રાજીનામું આપવા માગતો નથી - ઈમરાનખાન

2019-10-24 1,489 Dailymotion

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને બુધવારે વિપક્ષના જમીયત ઉલેમા ઈસ્લામ ફજલ અને મૌલાનાઓના વિરોધને લઈ જવાબ આપ્યો છે ઈમરાને કહ્યું છે કે મૌલાનાઓની સમસ્યા અને વિપક્ષનો એજન્ડો સમજથી બહાર છે તે કોઈ દબાણમાં રાજીનામું આપશે નહીં વિપક્ષે ઈમરાન સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને આગામી મહિનામાં આઝાદીની માર્ચ કાઢવાની જાહેરાત કરી છે ઈમરાને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મારે રાજીનામુ આપવાનો કોઈ પ્રશ્ન નથી અને હું રાજીનામું આપવા પણ માગતો નથી વિપક્ષ અને મૌલાનાઓના ધરણા એક કાવતરું કહ્યું છે, જેને વિદેશી નેતાઓનું સમર્થન મળી રહ્યું છે