¡Sorpréndeme!

DGP દિલબાગસિંહનું નિવેદન, જમ્મુ-કાશ્મીરમાં હાલ 200-300 આતંકીઓ સક્રિય -

2019-10-07 618 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાં હાલ 200-300 આતંકીઓ સક્રિય છે શિયાળો શરૂ થતાં પહેલાં પાકિસ્તાન સિઝફાયર ઉલ્લંઘન કરીને આતંકીઓની કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવા ઈચ્છે છે આ વાત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહી છે તેમના જણાવ્યા પ્રમાણે, પીઓકેથી મોટી સંખ્યામાં આતંકીઓ રાજ્યમાં ઘૂસવામાં સફળ રહ્યા છે અને સેનાએ ઘણી ઘૂસણખોરીન ઘટના નિષ્ફળ કરી છે

DGP એકહ્યું કે, કાશ્મીર અને જમ્મુ બંને વિસ્તારોમાં એલઓસી પર સિઝફાયર ઉલ્લંઘનની ઘણી ઘટનાઓ થઈ છે આરએસ પુરા અને આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા હીરાનગર, પુંછ, રાજૌરી, નાંબલા, કરનાહ અને કેરણમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરીને આતંકીઓની ઘૂસણખોરી કરાવવા ઈચ્છે છે, પરંતુ તેમને રોકવા માટેની અમારી તૈયારીઓ મજબૂત છે