સુરતમાં વેડરોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ ધર્મવલ્લભદાસે રવિવારે સવારે વચનામૃત દરમિયાન કહ્યું હતું કે, શ્રી કૃષ્ણ ભગવાન ન હતા પણ ગોવાળિયા હતા કૃષ્ણ વિશે આવું બોલતા સાધુ ધર્મવલ્લભદાસનો વીડિયો વહેતો થતાં આહિર સમાજમાં રોષ ફેલાયો હતો આહિર સમાજના કેટલાક યુવાનો સાધુ ધર્મવલ્લભદાસને મળવા પણ ગયા હતા જોકે સાંજ સુધીમાં સાધુ ધર્મવલ્લભદાસે સોશિયલ મીડિયામાં ખુલાસા દ્વારા દિલગીરી વ્યક્ત કરી હતી