અમદાવાદ: વૈશાખ સુદ-11ને બુધવારે જૈન શાસન સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના વિવિધ જૈનસંઘોમાં ઉજવણી કરવામાં આવી હતી મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું હતું કે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ તથા સોલારોડ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે સવારે 630 કલાકે 'શાસન વંદનાયાત્રા' યોજવવામાં આવી હતી કેશવનગર જૈન સંઘ, સુભાષબ્રિજ ખાતે મુનિરાજ હંસબોધિ વિજયજી મસાની નિશ્રામાં પ્રભાત ફેરી, જૈન ધજા લહેરાવી હતી તેમજ નવકાર જૈન સંઘ, વાસણામાં પાઠશાળાના બાળકોની રેલી યોજાવાઈ હતી