રાજકોટ: રાજકોટ માર્કેટ યાર્ડમાં ગઇકાલે સરદારના ડીએપી ખાતરની થેલીમાં વજન ઓછુ આવતા વેચાણ પર પ્રતિબંધ લગાવી કૃષિમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા ત્યારે સરદાર બાદ રાજકોટના મઘરવાડા સહકારી મંડળીમાં ઇફ્ફકોના ખાતરમાં પણ વજન ઓછુ હોવાનું સામે આવ્યું છે ઇફ્ફકોના એનપીકેના ખાતરમાં 50120 કિલો સામે 4980 કિલો ખાતર હોવાનું સામે આવ્યું છે