¡Sorpréndeme!

રાજકોટ મનપાના ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણીના ટેન્કર ભરી બારોબાર વેચી નાંખવાનું કૌભાંડ

2019-04-26 239 Dailymotion

રાજકોટ: શહેરના છેવાડાના વિસ્તાર અને ઝુંપડપટ્ટી તેમજ જ્યાં નળ કનેક્શન ન હોય ત્યાં ટેન્કર મારફતે આપવામાં આવતું પાણી બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ભાજપના કોર્પોરેટરે ઝડપી લઇ 10 હજાર લીટરની કેપિસિટીવાળું ટેન્કર ભરવા રૈયાધાર નજીકના પાણીના ટાંકે આવેલા ડ્રાઇવરને ઝડપી લઇ મનપાની વિજિલન્સ શાખાના હવાલે કર્યો હતો વોટરવર્કસ ચેરમેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાનું પાણી કોંગ્રેસના આગેવાનોના ઇશારે બારોબાર વેચી નાખવામાં આવતું હતું ટેન્કર અને ડ્રાઇવરને જવા દેવા રમેશ ઝુંઝા અને મોહન સિંધવે ધમકી પણ આપી હતી વોર્ડ નં1માં રૈયાધાર સ્લમ ક્વાર્ટસ પાસે મહાનગરપાલિકાએ પાણીનો ટાંકો બનાવ્યો છે આ ટાંકામાંથી જ્યાં પાણીના કનેક્શન નથી તે વિસ્તાર ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં ટેન્કર મારફતે સવારથી બપોરે 130 વાગ્યા સુધી પાણીનું વિતરણ કરવામાં આવે છે